Namo Lakshmi Yojana 2024:- નમો લક્ષ્મી યોજના

Namo Lakshmi Yojana 2024: યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રૂપિયા 50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને સહાય આપવાનો છે. જેથી વિધ્યાર્થીનીઓ સારો અભ્યાસ મેળવી શકે. અને અધવચ્ચે કોઈ શિક્ષણ છોડે નહીં અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે.

આ યોજના વિષે વિસ્તૃત માહિતી મેળવવા માટે નીચેની સંપૂર્ણ માહિતી વિગતવાર વાંચો અને જરૂરિયાતવાળ મિત્રોને જરૂર મોકલી દેવી.

Namo Lakshmi Yojana 2024

  • યોજનાનું નામ:- નમો લક્ષ્મી યોજના
  • હેતુ: અભ્યાસ કરતી વિધ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાનો
  • લાભાર્થીની પાત્રતા: ધોરણ-9 થી ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને લાભ મળવા પાત્ર છે.
  • અરજી કરવાનુ માધ્યમ: ઓનલાઇન
  • સત્તાવાર વેબસાઇટ:- cmogujarat.gov.in

નમો લક્ષ્મી યોજનામાં મળતી સહાય ?

– યોજનામાં ધોરણ-9 અને 10 માં કુલ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં ધોરણ-9 માં 5,000 રૂપિયા અને 10 માં પણ 5,000 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેમ કુલ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બાકીના 10,000 રૂપિયા ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં આપ્યા પછી આપવામાં આવશે.

– હવે ધોરણ-11 અને ધોરણ-12 કુલ 30,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં ધોરણ-11માં 7,500 રૂપિયા અને ધોરણ-12માં 7,500 રૂપિયાની પ્રમાણેની સહાય આપવામાં આવે છે. ટોટલ 15,000 રૂપિયાની સહાય કરાશે. બીજા 15,000 રૂપિયા ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવશે.

Namo Lakshmi Yojana 2024

લાભાર્થીની યોગ્યતા

  • માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે. અને યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીઓ ધોરણ-9માં પ્રવેશ મેળવવો જરૂરી છે. રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ-1 થી ધોરણ-8 નો અભ્યાસ પૂરો કરી ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરૂરી છે.
  • લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ.

નમો લક્ષ્મી યોજના અરજી પ્રક્રિયા

  • “નમો લક્ષ્મી યોજના” માં અરજીની પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવશે. અને આ યોજના માટે શાળાઓ દ્વારા નમો લક્ષ્મી નામનું portal બનાવવામાં આવશે.
  • આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીઓના વાલીના બઁક ખાતામાં નાખવામાં આવશે.
  • યોજના દ્વારા પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ, પાત્રતા પ્રમાણે વિદ્યાર્થીનીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર આવશે.
  • જો વિદ્યાર્થીની સરેરાસ હાજરી 80% થી ઓછી હશે, તો તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
  • સાથે વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દેશે તો, તેની આગળની સહાય મળવાપાત્ર રહેશે નહીં. અને રિપિટર વિદ્યાર્થીઓને જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત આપવામાં આવશે. નહીં.
  • જો વિદ્યાર્થીની ને કોઈ અન્ય સ્કૉલરશીપનો લાભ મળતો હશે, તે પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો.
Namo Lakshmi Yojana 2024

Leave a Reply